મહેમદાવાદના 6 વિદ્યાર્થીઓ જવાહર નવોદય પરીક્ષા પાસ કરી મેરીટમાં પસંદગી થતા હવે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મેળવશે

મહેમદાવાદના 6 વિદ્યાર્થીઓ જવાહર નવોદય પરીક્ષા પાસ કરી મેરીટમાં પસંદગી થતા હવે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મેળવશે
તાલુકાના કનીજ પે સેન્ટર શાળા, વાઠવાળી કન્યાશાળા, નાની અડબોલી પ્રાથમિક શાળા અને અરેરીની શાંતિનિકેતન શાળાના વિદ્યાર્થીઓ

ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા શાળાના બાળકો માટે જુદી જુદી યોજનાઓ નો લાભ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત દર વર્ષે ધોરણ-5 માં અભ્યાસ કરતા બાળકો માટે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ની પરીક્ષા લેવામાં આવે છે. જે પરીક્ષા પાસ કરી બાળક મેરીટમાં આવે તો તે બાળકને કેન્દ્ર સરકાર તરફથી ધોરણ 6 થી ધોરણ-12 ના અભ્યાસ માટે રહેવા જમવા અને અભ્યાસ કરવાની સગવડ વિના મૂલ્યે આપવામાં આવે છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જુદી જુદી શાળાના બાળકોએ જવાહર નવોદય ની પરીક્ષા આપી હતી. જેમાંથી 6 બાળકોની મેરીટ માં પસંદગી થઈ છે.જેમાં પંથ ચૌહાણ , દીપ્તિ ચૌહાણ, હર્ષરાજ ચૌહાણ, વંશ રાણા, દર્શન સોલંકી અને રાહી પરમાર ની પસંદગી થઈ છે. પસંદગી પામનાર બાળકો કનીજ પે સેન્ટર શાળા, વાઠવાળી કન્યાશાળા, નાની અડબોલી પ્રાથમિક શાળા, શાંતિનિકેતન શાળા અરેરી માં અભ્યાસ કરી રહ્યા છે. જે બાળકો હવે કઠલાલ માં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરશે.આમ સમગ્ર મહેમદાવાદ શિક્ષણ ટીમ તરફથી આ તમામ બાળકોને અને શાળા પરિવારને અભિનંદન આપવામાં આવ્યા હતા.

Latest News


News Image
શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ
સો ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ માટે આયોજન કર્યું એ ગ્રેડમાં આવેલી 9 માધ્યમિક અને 22 પ્રાથમિક...
Read More
News Image
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે
Read More
News Image
મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા
મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, રતનપુરા અને હાથનોલી પ્રાથમિક શાળામાં બનાવાયા ઉદ્ઘાટન પ્રસંગે એન.જી...
Read More

Similar News


News Image
જાણીતા સાહિત્યકાર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા મોસ્કોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપશે
ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ રજૂઆત કરશે
Read More
News Image
મહેમદાવાદના કાચ્છઈ માં પશુ આરોગ્ય મેળો અને પશુપાલન પ્રદર્શન યોજાયું
કાચ્છઇ દૂધ મંડળીને ગોડાઉન માટે રૂ 5 લાખની સહાય આપવામાં આવી સભાસદોને દેશી ગાયનો ઉછેર કરવા ધારાસભ્યએ આહવાન કર્યુ
Read More
News Image
મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ
સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી ઉપસ્થિત રહેશે
Read More
News Image
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:
વિમાન દુર્ઘટનાના મૃતકોની યાદમાં શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું:
Read More