ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા શાળાના બાળકો માટે જુદી જુદી યોજનાઓ નો લાભ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત દર વર્ષે ધોરણ-5 માં અભ્યાસ કરતા બાળકો માટે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ની પરીક્ષા લેવામાં આવે છે. જે પરીક્ષા પાસ કરી બાળક મેરીટમાં આવે તો તે બાળકને કેન્દ્ર સરકાર તરફથી ધોરણ 6 થી ધોરણ-12 ના અભ્યાસ માટે રહેવા જમવા અને અભ્યાસ કરવાની સગવડ વિના મૂલ્યે આપવામાં આવે છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના જુદી જુદી શાળાના બાળકોએ જવાહર નવોદય ની પરીક્ષા આપી હતી. જેમાંથી 6 બાળકોની મેરીટ માં પસંદગી થઈ છે.જેમાં પંથ ચૌહાણ , દીપ્તિ ચૌહાણ, હર્ષરાજ ચૌહાણ, વંશ રાણા, દર્શન સોલંકી અને રાહી પરમાર ની પસંદગી થઈ છે. પસંદગી પામનાર બાળકો કનીજ પે સેન્ટર શાળા, વાઠવાળી કન્યાશાળા, નાની અડબોલી પ્રાથમિક શાળા, શાંતિનિકેતન શાળા અરેરી માં અભ્યાસ કરી રહ્યા છે. જે બાળકો હવે કઠલાલ માં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરશે.આમ સમગ્ર મહેમદાવાદ શિક્ષણ ટીમ તરફથી આ તમામ બાળકોને અને શાળા પરિવારને અભિનંદન આપવામાં આવ્યા હતા.