ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેમદાવાદ તાલુકાના મંડલના નવા અધિકારીઓની પણ નિમણુંક કરાઈ છે. જેમાં ઉપપ્રમુખ તરીકે ભૂપતસિંહ રામસિંહ ચૌહાણ, કાળુસિંહ ચંદુભાઇ ડાભી, સીતાબેન રાજુભાઇ જાદવ, પંકજભાઇ વાઘજીભાઇ ચૌહાણ, મીનાબેન વિજયસિંહ કટારીયા, જયદીપસિંહ ધીરસિંહ ચૌહાણની નિમણુંક કરાઈ છે. ત્યારે મહામંત્રી તરીકે મિનેષકુમાર વિનુભાઈ પટેલ અને ધીરજસિંહ વિનુભાઇ પરમારની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત મંત્રી તરીકે નીરૂબેન મહેન્દ્રસિંહ પરમાર, નટવરસિંહ રામસિંહ બારૈયા, અશ્વિનભાઇ સુરેશભાઇ સોલંકી, ભગવતીબેન રાહુલકુમાર ચૌહાણ, ગાયત્રીબેન ધર્મેન્દ્રભાઇ સોની અને વિજયસિંહ ઉદેસિંહ રાઠોડની નિમણૂંક કરાઈ છે.ત્યારે નવા મંડલના કોષાધ્યક્ષ તરીકે પાર્થ ગોવિંદભાઇ ધોબીની નિમણુંક કરાઈ છે. આ પ્રસંગે મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્યશ્રી અર્જુનસિંહજી ચૌહાણે નવા મંડલના પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.