આ કાર્યક્રમ માં એન.જી.ઓ ના સી.ઇ.ઓ પંકજભાઈ સુહાની અને બંન્ને ફાઉન્ડેશનની સમગ્ર ટીમ સાથે મહેમદાવાદ તાલુકા ના બી.આર.સી. કો .ઓ દિપકભાઈ સુથાર અને સી.આર.સી .કો ઓ,પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પંકજભાઈ દ્વારા બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે બીઆરસી દિપકભાઈ સુથાર દ્વારા એન.જી.ઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર શિક્ષણ પરિવાર દ્વારા ફાઉન્ડેશનની આ અદભુત સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.