મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ

મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ
સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી ઉપસ્થિત રહેશે

ધર્મ રક્ષા સમિતિ અને શ્રી સિધ્ધિ વિનાયક સેવા સમિતિ દેવનગરી મહેમદાવાદ તાલુકા આયોજીત ભગવાન શ્રી જગન્નાથજીની 12 મી રથયાત્રા તા.27 જૂન ને શુક્રવારના રોજ સવારે 9:30 વાગ્યે પ્રસ્થાન થશે.આ રથયાત્રા સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની નીકળશે.ત્યારે ભગવાન જગન્નાથનુ મોસાળુ મહેમદાવાદ શહેરની સપ્તપોળ ચોકમાં કરાશે.આ રથયાત્રામાં ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી તેમજ તરણેતર રાસ મંડળ અને આદિવાસી લોકનૃત્ય ટીમલી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન અને પ્રસાદ લઇ ધન્યતા અનુભવશે.

મહેમદાવાદ વાત્રક નદીના કિનારે આવેલા સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજને તા.27 જૂન ને શુક્રવારના રોજ સવારે 9:30 વાગ્યે પ્રસ્થાન થશે. આ અગાઉ સવારે 9:00 કલાકે રથયાત્રા ભ્રમણ પૂજા યોજાશે. આ રથયાત્રા નું સંચાલન 130 નિવૃત સૈનિકો દ્વારા કરવામાં આવશે.આ રથયાત્રાનું આયોજન ધર્મ રક્ષા સમિતિ અને સિદ્ધિવિનાયક સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર થીમ આ રથયાત્રાને વિશેષ બનાવવામાં આવી છે. આ થીમ હેઠળ શાંતિ, ભક્તિ અને સમાજની એકતાનો સંદેશો ફેલાવશે. આ અંગે મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ પુરોહિતે જણાવ્યું હતુ કે રથયાત્રા સિદ્ધિવિનાયક મંદિર થી પ્રસ્થાન કરી ખાત્રજ ગામ, ખાત્રજ ચોકડી થઈને મહેમદાવાદ શહેરમાં પ્રવેશ કરશે.

મહેમદાવાદ શહેરની સપ્ત પોળમાં બપોરના 12:30 કલાકે તપન ઠક્કર દ્વારા મામા તરીકે ફરજ નિભાવી મોસાળાની વિધિ કરવામાં આવશે. ત્યાં વિધિ પૂર્ણ કર્યા બાદ રથયાત્રા પરંપરાગત રૂટ પરથી પસાર થઈને ફરી નીજ મંદિરે પરત ફરશે. આ રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાશે અને પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે. આ રથયાત્રામાં 43 ભજન મંડળી ભાગ લેશે. આ ઉપરાંત રથયાત્રામાં ગુજરાતી ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી તેમજ તરણેતર રાસ મંડળ અને આદિવાસી લોક નૃત્યો ટીમલી મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આ રથયાત્રામાં મહેમદાવાદ 117 વિદ્યાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણ,સાંસદ દેવુસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

Latest News


News Image
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે
Read More
News Image
મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક
Read More
News Image
મહેમદાવાદ તાલુકાના 3 પ્રાથમિક શાળામાં રૂ 7 લાખના ખર્ચે એનજીઓ દ્વારા દીકરીઓ માટે સેનિટેશન બ્લોક બનાવ્યા
મહેમદાવાદ તાલુકાના જીભાઈપુરા, રતનપુરા અને હાથનોલી પ્રાથમિક શાળામાં બનાવાયા ઉદ્ઘાટન પ્રસંગે એન.જી...
Read More
News Image
મહેમદાવાદ શહેરમાં રવિશંકર મહારાજ હોલનુ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે શનિવારે લોકાર્પણ થશે
ત્રણ માળના હોલમાં પ્રથમ માળ બેન્કવેટ હોલ અને રસોડું, બીજો માળ લાયબ્રેરી અને ત્રીજા માળે ઓડિટોરિયમ બન...
Read More

Similar News


News Image
જાણીતા સાહિત્યકાર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા મોસ્કોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપશે
ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ રજૂઆત કરશે
Read More
News Image
મહેમદાવાદના કાચ્છઈ માં પશુ આરોગ્ય મેળો અને પશુપાલન પ્રદર્શન યોજાયું
કાચ્છઇ દૂધ મંડળીને ગોડાઉન માટે રૂ 5 લાખની સહાય આપવામાં આવી સભાસદોને દેશી ગાયનો ઉછેર કરવા ધારાસભ્યએ આહવાન કર્યુ
Read More
News Image
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:
વિમાન દુર્ઘટનાના મૃતકોની યાદમાં શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું:
Read More
News Image
શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ
સો ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ માટે આયોજન કર્યું એ ગ્રેડમાં આવેલી 9 માધ્યમિક અને 22 પ્રાથમિક શાળાના આચાર્યનુ સન્માન કર્યું
Read More