મહેમદાવાદ તાલુકામાં ધોરણ-8માં અભ્યાસ કરતા આશરે 3,350 વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની પરીક્ષા આપી હતી. જેમાંથી 425 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેમાંથી 142 વિદ્યાર્થીઓ મેરીટ માં પસંદગી પામ્યા છે જેમને ધોરણ 9 થી ધોરણ- 12 સુધી અભ્યાસ દરમિયાન રૂપિયા 94,000 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. આ સિદ્ધિ બદલ સમગ્ર મહેમદાવાદ ની શિક્ષણ ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા .આ ઉપરાંત જે શાળાના શિક્ષકો દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે અલગ થી પરીક્ષાની તૈયારી કરવામાં આવી હતી તેમજ વાલીઓ તરફથી માર્ગદર્શન પણ મળતું હતું. આમ સમગ્ર ટીમ મહેમદાવાદના સહિયારા પ્રયત્ન થકી જિલ્લા માં બીજો નંબર મહેમદાવાદ તાલુકાનો આવ્યો છે. જે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા મેરીટમાં પસંદ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉત્તરોતર પ્રગતિ કરે તેવા શુભાશિષ આપવામાં આવ્યા હતા.