તા.12 મી એપ્રિલ 2025 ના ને શનિવારે બપોરે 12:00 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે આ હોલનુ લોકાર્પણ કરશે. આ સાથે જ મહેમદાવાદ ખાતે થી કઠવાડા ખાતે નિર્મિત ઓડિટોરિયમ હોલ, રણાસણ-એણાસણ ટી.પી. 412-બી માં ઘોડાસર બ્રાન્ચ કેનાલ પર નિર્મિત માઇનોર બ્રિજ તેમજ જળ-જીવન મિશન અંતર્ગત દસક્રોઈ તાલુકાના વિવિધ ગામોમાં પીવાના પાણી માટે કડાદરા દેડવર્કસ આધારિત ટૂંક મેઈન લાઈન, સમ્પ, પમ્પિંગ સ્ટેશન ની કામગીરી સહિતના કુલ રૂ 142 કરોડના ખર્ચે નિર્મિત 4-પ્રકલ્પનું ઈ લોકાર્પણ કરશે. તાજેતરમાં જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવે મહેમદાવાદ સ્થિત પૂજ્ય રવિશંકર મહારાજ નવા હોલ ની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સંબંધિત વિભાગના અધિકારીઓને સફાઈ, વીજળી, રોડ રસ્તા, ટ્રાફિક, ઢોર નિયંત્રણ, ફાયર સેફ્ટી, બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની સુચારૂ વ્યવસ્થા જાળવવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.